Aug 04, 2025
શ્રાવણમાં શિવ ભક્તો શિવલિંગ પર અલગ-અલગ પદાર્થોથી અભિષેક કરતા હોય છે.
દરેક પદાર્થનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે અને તેને અર્પિત કરવાથી અલગ-અલગ ફળની પ્રાપ્તિ થાય છે.
આવામાં આજે અમે તમને જણાવીશું કે આર્થિક રૂપે શસક્ત બનવા માટે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર કઈ વસ્તુઓ તમે અર્પિત કરી શકો છો.
આ વસ્તુઓને શિવલિંગ પર અર્પિત કરવાથી ન માત્ર તમારી પણ ઘરના અન્ય લોકોની આર્થિક સ્થિતિ પણ સુધરે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો તમે શિવલિંગ પર ધતૂરાનું પાણી અર્પિત કરો છો તો દેવામાંથી તમને મુક્તિ મળે છે અને અટકેલું ધન પરત મળે છે.
તમે ધતૂરાને પાણીમાં મિક્સ કરીને શિવલિંગ પર અર્પિત કરી શકો છો.
ત્યાં જ શિવલિંગ પર મધ અને શેરડીનો રસ અર્પિત કરવાથી તમારૂં સંચિત ધન વધે છે અને કરિયર-વેપારમાં પ્રગતિ થાય છે.
આર્થિક લાભ માટે દહીં પણ શ્રાવણ માસમાં શિવલિંગ પર અર્પિત કરી શકાય છે.
જો તમે પણ ધન લાભ ઈચ્છો છો તો શિવલિંગ પર આ વસ્તુઓમાંથી એક જરૂરથી અર્પિત કરો.