Aug 01, 2025
ભારતમાં સ્થિત તાજમહેલ ના દુનિયામાં છે અને ના તો ક્યારેય ક્યાંય બની શક્શે. દુનિયાના ઘણા દેશોએ તાજમહેલ જેવી અજાયબી બનાવવાની કોશિશ કરી પરતું બનાવી શક્યા નહીં.
આ કડીમાં બાંગ્લાદેશમાં પણ બનાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ જ્યારે પરિણામ સામે આવ્યું તો લોકો તેને જોઈને મોઢુ ચઢાવવા લાગ્યા.
બાંગ્લાદેશમાં બનેલા તાજમહેલને ગરીબોનો તાજમહેલ કહેવામાં આવે છે.
આગ્રાના તાજમહેલની ભવ્યતાની સામે બાંગ્લાદેશના તાજમહેલની ભવ્યતા કંઈ નથી.
બાંગ્લાદેશનો તાજમહેલ ઢાકાથી લગભગ 30 કિલોમીટર દૂર સ્થિત છે. આ તાજમહેલનું નિર્માણ બાંગ્લાદેશી ફિલ્મ મેકર અહસાનુલ્લાહ મોનીએ કર્યું હતું.
1.6 હેક્ટેયરમાં ફેલાયેલ આ તાજમહેલનું નિર્માણ કાર્ય વર્ષ 2003માં શરૂ થયુ હતું અને વર્ષ 2008માં આ તાજમહેલ બનીને તૈયાર થયો હતો. તેને બનવામાં 5 વર્ષ લાગ્યા હતા.
આ બાંગ્લદેશી તાજમહેલને લાખો ડોલરનો ખર્ચો થયો હતો. હવે જાણીએ કે આ બાંગ્લાદેશી તાજમહેલને ગરીબોનો તાજમહેલ કેમ કહેવામાં આવે છે.
બાંગ્લાદેશી ફિલ્મમેકર અહસાનુલ્લાહ મોની ભારતના તાજમહેલથી ખુબ જ પ્રેરિત હતા. તેઓ હંમેશાથી ઈચ્છતા હતા કે તેઓ આ પ્રેમની નિશાનીને પોતાની જિંદગીમાં એકવાર જરૂરથી જુએ.
પરંતુ દરેક બાંગ્લાદેશી માટે ભારત આવીને તાજમહેલને જોવું સરળ નથી. આવામાં અહસાનુલ્લાહે પોતાના જીવનભરની કમાણીથી બાંગ્લાદેશમાં જ તાજમહેલ બનાવડાવ્યો.
આજે બાંગ્લાદેશમાં રહેતા ગરીબ પરિવારના લોકો પણ આ તાજમહેલને જોવા માટે આવે છે.