Jul 24, 2025
ઘરોમાં ગરોળીની સમસ્યા ખુબ જ સામાન્ય છે અને ઘણી વખત ગરોળી લોકોની ઉપર પણ પડી જાય છે.
મોટા ભાગના લોકો વિચારે છે કે જો ઘરમાં રહેતી ગરોળી માણસને કરડે તો, તેનાથી મોત થઈ શકે છે.
ચલો જાણીએ કે આ ગરોળીઓ કેટલી ઝેરી હોય છે.
ભારતમાં જોવા મળતી ઘરેલું ગરોળીઓ સામાન્ય રીતે માણસો માટે ખતરનાક નથી હોતી.
ઘરોમાં જોવા મળતી મોટા ભાગની ગરોળી કોમન હાઉસ ગેકો પ્રજાતિ હોય છે.
આ ગરોળીઓ માણસોથી દૂર રહેવાની કોશિશ કરે છે. તે જીવજંતુઓને ખાઈને ઘરની સફાઈ કરવામાં મદદ કરે છે.
ગરોળી દુર્લભ મામલાઓમાં જ માણસોને કરડે છે. ભલે તે ઝેરીલી નથી હોતી પરંતુ તે બેક્ટેરિયા અને બીમારી ફેલાવી શકે છે.
જો ઘરમાં રહેતી ગરોળી તમને કરડી પણ જાય તો તેનાથી શરીરમાં ઝેર ફેલાવવાનો ખતરો રહેતો નથી.
જોકે ગરોળી કરડે તો ડોક્ટરને જરૂરથી મળો અને તેમની સલાહ લો. જેથી કરીને કોઈ પણ પ્રકારની સમસ્યાથી બચી શકાય.