Toll Tax in India : આ લોકોને ટોલ ટેક્સ આપવો પડતો નથી, સરકાર તરફથી મળે છે છૂટ
Toll Tax in India : રસ્તાઓ પર દોડતા વાહનોને ટેક્સ ચૂકવવો પડે છે. જોકે ભારત સરકારે કેટલાક લોકોને ટોલ ટેક્સમાં રાહત આપી છે. ચાલો જાણીએ કે ટોલ ટેક્સમાં કોને છૂટ મળે છે
Toll Tax in India : કોઈપણ દેશને ઝડપથી વિકાસ માટે એક સારા અને મોટા રોડ નેટવર્કની જરૂર હોય છે. હાલમાં ભારતમાં નવા નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે ઝડપથી બની રહ્યા છે. (Photo: Indian Express)
ભારત સમગ્ર વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક હોવાના સંદર્ભમાં વિશ્વમાં બીજા ક્રમે છે. જોકે આ રસ્તાઓ પર દોડતા વાહનોને ટેક્સ ચૂકવવો પડે છે. (Photo: Indian Express)
પરંતુ કેટલાક કેટેગરીના લોકો એવા છે જેમને ટેક્સ ચૂકવવાની જરૂર નથી. ભારત સરકારે આ લોકોને ટોલ ટેક્સમાં રાહત આપી છે. ચાલો જાણીએ કે ટોલ ટેક્સમાં કોને છૂટ મળે છે.(Photo: Indian Express)
આ ઉપરાંત રાજ્યસભાના અધ્યક્ષ, લોકસભાના અધ્યક્ષ, રાજ્ય વિધાન પરિષદના સભાપતિ, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષને પણ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. (Photo: Indian Express)
રાજકારણીઓ ઉપરાંત સરકાર એવા લોકોને પણ છૂટ મળે છે જેમને ભારત સરકાર તરફથી પુરસ્કારો મળ્યા છે. આમાં પરમવીર ચક્ર વિજેતાઓ, અશોક ચક્ર, મહાવીર ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વિજેતાઓનો સમાવેશ થાય છે. (Photo: Indian Express)
સરકારી કર્મચારીઓની વાત કરીએ તો ભારતીય સેના, નેવી, વાયુસેનાના અધિકારીઓ, અર્ધલશ્કરી દળો, પોલીસની વર્દીમાં કેન્દ્રીય અને સશસ્ત્ર દળોના સૈનિકોને પણ ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. જોકે તેમને ટોલ પ્લાઝા પર તેમનું ઓળખપત્ર બતાવ્યા પછી જ છૂટ મળે છે.(Photo: Indian Express)