Vote Chori વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધીએ કહ્યું- અમારા વોટ ચોરાઇ રહ્યા છે, સંવિધાનને બચાવવાની લડાઇ…

Rahul Gandhi vote chori protest: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ સહિત નેતાઓએ સોમવારે દિલ્હી ચૂંટણી પંચ સંકુલ બહાર વોટ ચોરી મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.

August 11, 2025 16:04 IST
Vote Chori વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધીએ કહ્યું- અમારા વોટ ચોરાઇ રહ્યા છે, સંવિધાનને બચાવવાની લડાઇ…
Vote chori protest: વોટ ચોરી મામલે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, પ્રિયંકા સહિત સાંસદોનું વિરોધ પ્રદર્શન (એક્સપ્રેસ ફોટો)

સોમવારે સવારે દિલ્હી પોલીસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા અને શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉત સહિત વિપક્ષના વરિષ્ઠ સાંસદોની અટકાયત કરી હતી. બિહારમાં ખાસ સઘન સુધારાના વિરોધમાં ઇન્ડિયા એલાયન્સના નેતાઓએ સંસદ પરિસરથી ચૂંટણી પંચની ઓફિસ સુધી કૂચ કાઢી હતી. અટકાયતમાં લીધા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ બંધારણને બચાવવાની લડાઈ છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વાસ્તવિકતા એ છે કે તેઓ વાત કરી શકતા નથી. સત્ય દેશની સામે છે. આ લડાઈ રાજકીય નથી. આ સંવિધાનને બચાવવાની લડાઈ છે. આ એક માણસની, એક મતની લડાઈ છે. તેથી જ આપણને સ્વચ્છ મતદાર યાદીની જરૂર છે. સાથે જ પ્રિયંકા ગાંધીએ પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ સરકાર ડરી ગઈ છે અને કાયર છે.

તેઓ શેનાથી ડરી રહ્યા છે…

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પણ પોલીસે અટકાયત કરી હતી. તેમણે કહ્યું કે, જો સરકાર અમને ચૂંટણી પંચમાં પ્રવેશની મંજૂરી નથી આપતી, અમને સમજાતું નથી કે તેઓ શેનાથી ડરે છે. બધા સાંસદો આ કૂચમાં હતા, અમે શાંતિથી કૂચ કરી રહ્યા હતા.

અમે ઇચ્છતા હતા કે ચૂંટણી પંચ તમામ સાંસદોને બોલાવે, અમે બેઠક યોજીને અમારો પક્ષ રજૂ કરી શક્યા હોત, પરંતુ ચૂંટણી પંચ કહી રહ્યું છે કે માત્ર 30 સભ્યો જ આવવા જોઈએ. એ કેવી રીતે શક્ય છે?

Vote Chori Protest at Election Commission office
કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદોએ વોટ ચોરી મામલે ચૂંટણી પંચ ઓફિસ બહાર કર્યું વિરોધ પ્રદર્શન

ડીસીપી મહલાએ શું કહ્યું?

ડીસીપી (નવી દિલ્હી) દેવેશકુમાર મહલાએ જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચે એક પત્ર આપ્યો હતો કે 30 સાંસદો તેમને મળી શકે છે, પરંતુ 200થી વધુ સાંસદો સંસદમાંથી કૂચ કરી રહ્યા હતા.

અમે તેમની સલામતી સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના કોઈપણ બગાડને રોકવા માટે તેમને અટકાવ્યા. બાદમાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કેટલાક સાંસદોએ બેરિકેડ્સ પાર કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમની અટકાયત પણ કરવામાં આવી છે.

વિપક્ષી ગઠબંધનની કૂચ ક્યાંથી શરૂ થઈ?

વિપક્ષી ગઠબંધનની કૂચની શરૂઆત સંસદના મકર દરવાજાથી થઈ હતી. તેમાં લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદો શામેલ હતા. ખાસ સઘન સુધારણા અને વોટ ચોરી જેવા શબ્દો સાથેના પ્લે કાર્ડ અને બેનરો સાથે સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: મેડિકલ બિલને લઇને જવાનો પરેશાન…

સાંસદોએ આગળ વધતાં પહેલાં રાષ્ટ્રગીત પણ ગાયું હતું, પરંતુ પરિવહન ભવન ખાતે પોલીસ બેરિકેડ્સે તરત જ તેમનો રસ્તો રોકી દીધો હતો. ટીએમસીના મહુઆ મોઇત્રા અને સુષ્મિતા દેવ અને કોંગ્રેસના સંજના જાટવ અને જોથિમાની સહિત ઘણા સાંસદો સપા નેતા અખિલેશ યાદવ સાથે બેરિકેડ્સ પર ચઢી ગયા હતા અને જ્યારે તેમને રોકવામાં આવ્યા ત્યારે ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ