સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો દાવો – માલેગાવ બ્લાસ્ટ કેસમાં પીએમ મોદી અને સીએમ યોગીનું નામ લેવા ટોર્ચર કર્યું

Malegaon Blast : સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે અધિકારીઓએ તેમને કહ્યું હતું કે જો તેઓ આ નામો બોલી દેશે તો તેની પિટાઇ અને ત્રાસ ખતમ થઈ જશે. કે આ સમગ્ર ખોટા કેસ પાછળ કોંગ્રેસનો હાથ છે

Written by Ashish Goyal
Updated : August 02, 2025 23:52 IST
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો દાવો – માલેગાવ બ્લાસ્ટ કેસમાં પીએમ મોદી અને સીએમ યોગીનું નામ લેવા ટોર્ચર કર્યું
NIA કોર્ટે 2008ના માલેગાંવ વિસ્ફોટમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા (Express)

Pragya Thakur Malegaon Blast: એનઆઈએ કોર્ટે મહારાષ્ટ્રના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ પછી રાજકીય પારો વધી રહ્યો છે. આ દરમિયાન આ કેસમાં નિર્દોષ જાહેર થયેલા ભાજપના નેતા અને પૂર્વ લોકસભા સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મોટો ખુલાસો કર્યો છે. પ્રજ્ઞા ઠાકુરે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તપાસ દરમિયાન જે નામો લેવાની ફરજ પાડી હતી તેનો ઉલ્લેખ કર્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના નામ પણ સામેલ છે.

ભાજપના પૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે આરોપ લગાવ્યો કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને અન્યોનું નામ લેવા મજબૂર કર્યા હતા અને હેરાન કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અધિકારીઓએ તેમને કહ્યું હતું કે જો તેઓ આ નામો બોલી દેશે તો તેની પિટાઇ અને ત્રાસ ખતમ થઈ જશે.

લેખિતમાં આપી દીધા બધા નામ – સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે મેં બધું જ લેખિતમાં આપી દીધું છે અને તે બધા લોકોના નામ પણ આપ્યા છે જેમના નામ મને બતાવવા માટે મને મજબૂર કરી હતી. તેઓ કહેતા રહ્યા કે આ લોકોના નામ બતાવો અમે તમને મારીશું નહીં. તેમનો મુખ્ય હેતુ મને પ્રતાડિત કરવાનો હતો. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે તપાસ દરમિયાન તેને અપેક્ષા કરતા વધારે ત્રાસ આપવામાં આવ્યો હતો.

યુપીએ સરકાર પર ગંભીર આરોપ

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તત્કાલીન યુપીએ સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે આ સમગ્ર ખોટા કેસ પાછળ કોંગ્રેસનો હાથ છે. તેમણે કહ્યું કે આ આખો મામલો કોંગ્રેસનો ભગવા અને સશસ્ત્ર દળોને બદનામ કરવાના મોટા ષડયંત્રનો ભાગ છે.

આ પણ વાંચો – પ્રજ્ઞા ઠાકુર ઇનસાઇડ સ્ટોરી; જીન્સ ટી શર્ટ પહેરનાર છોકરી કેવી રીતે બની સાધ્વી

કોંગ્રેસને ધર્મ વિરોધી ગણાવી

કોર્ટના આ નિર્ણયને ધર્મની જીત ગણાવતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે કોંગ્રેસે પોતાના ષડયંત્ર હેઠળ આ ખોટો કેસ દાખલ કર્યો. તેનો કોઈ આધાર ન હતો. કોંગ્રેસ ધર્મ વિરોધી છે. આ એક એવી પાર્ટી છે જે આતંકવાદીઓને આશ્રય આપે છે. કોંગ્રેસ ક્યારેય રાષ્ટ્રવાદી પાર્ટી બની શકે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે તેમને યોગ્ય તબીબી સુવિધા આપવામાં આવી ન હતી, ફક્ત એટલી જ આપવામાં આવી કે હું કોઈક રીતે જીવિત રહી શકું.

સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે તેમની સાથે જે શારીરિક અને માનસિક પ્રતાડના કરવામાં આવી તેનું પરિણામ એ આવ્યું છે કે આજે તેમની હાલત ખૂબ જ નબળી છે. ઉલ્લેખનીય છે કે એનઆઈએ કોર્ટે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર અને લેફ્ટિનેન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ