શરદ પવારે કરી દીધી INDIA ગઠબંધનના ખતમ થવાની જાહેરાત? દિલ્હી ચૂંટણીને લઇને વધારી કોંગ્રેસની મુશ્કેલી

Delhi Assembly Election 2025 : એનસીપી (સપા)ના વડા શરદ પવારે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનની રચના સ્થાનિક અથવા રાજ્ય કક્ષાની ચૂંટણી માટે કરવામાં આવી ન હતી

Written by Ashish Goyal
January 14, 2025 17:15 IST
શરદ પવારે કરી દીધી INDIA ગઠબંધનના ખતમ થવાની જાહેરાત? દિલ્હી ચૂંટણીને લઇને વધારી કોંગ્રેસની મુશ્કેલી
શરદ પવાર - photo - ANI

Delhi Assembly Election 2025 : એનસીપી (સપા)ના વડા શરદ પવારે કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનની રચના સ્થાનિક અથવા રાજ્ય કક્ષાની ચૂંટણી માટે કરવામાં આવી ન હતી. બીજી તરફ શરદ પવારે પણ અરવિંદ કેજરીવાલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ઇન્ડિયા ગઠબંધનના બે મોટા પક્ષો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં છે. વિધાનસભાની ચૂંટણી માટે બંને વચ્ચે રાજકીય ટકરાવ વધી ગયો છે.

શરદ પવારના કેજરીવાલને સમર્થન કરતા નિવેદનથી દિલ્હીની ચૂંટણી માટે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે. ટીએમસી, આરજેડી અને સપા જેવા પક્ષોએ દિલ્હી ચૂંટણી માટે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત પહેલા જ કરી દીધી હતી અને હવે આ યાદીમાં શરદ પવારનું નામ પણ સામેલ થઇ ગયું છે.

શરદ પવારે કેજરીવાલને આપ્યું સમર્થન

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. શરદ પવારે કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મારી લાગણી છે કે આપણે અરવિંદ કેજરીવાલની મદદ કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવા છતાં કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીનો ખેલ બગાડવાનો પ્રયાસ કરી રહી છે.

આ ગઠબંધન માત્ર રાષ્ટ્રીય ચૂંટણી માટે હતું

ઇન્ડિયા ગઠબંધન પર એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનમાં રાજ્ય અને સ્થાનિક ચૂંટણીઓ અંગે ક્યારેય કોઈ ચર્ચા થઈ નથી. ઇન્ડિયા ગઠબંધન માત્ર રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી માટે છે. મહારાષ્ટ્રમાં આગામી નગર નિગમની ચૂંટણીમાં બધા 8-10 દિવસમાં મળીને નક્કી કરશે કે અમે સાથે મળીને લડીશું કે એકલા લડીશું.

આ પણ વાંચો –  CM આતિશીની મુશ્કેલી વધી, નોમિનેશન પહેલા આ મામલે FIR નોંધાઈ, કઈ કલમો લગાવાઈ?

આવી સ્થિતિમાં એવા પ્રશ્નો પણ ઉભા થવા લાગ્યા છે કે જ્યારે કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં હોવા છતાં પણ તેના પોતાના ગઠબંધન ભાગીદારોનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે શું ઇન્ડિયા ગઠબંધન હવે સમાપ્ત થઈ ગયું છે?

આનું કારણ એ છે કે ગઠબંધનના મુખ્ય પક્ષો જેવા કે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી), સમાજવાદી પાર્ટી (સપા) અને શિવસેના (યુબીટી) પહેલેથી જ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ખુલ્લીને સમર્થન આપી ચૂક્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ