Earthquake: ભારત મ્યાનમાર જેવા ભૂકંપનો સામનો કરવા સજ્જ છે? દેશનો 59 ટકા વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ

Myanmar Earthquake India: મ્યાનમાર 7.7 તીવ્રતાનો ભયંકર ભૂકંપથી તબાહ થઇ ગયું છે. ભારતનો 59 ટકા વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ છે. હવે લોકોના મનમાં એક ડર છે કે, મોટો ભૂકંપ આવશે તો શું કરશો? શું ભારત મોટા ભૂકંપ માટે તૈયાર છે? શું સરકારે કોઈ પગલાં લીધાં છે?

Written by Ajay Saroya
March 29, 2025 09:35 IST
Earthquake: ભારત મ્યાનમાર જેવા ભૂકંપનો સામનો કરવા સજ્જ છે? દેશનો 59 ટકા વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ
Earthquake: ભૂકંપ/ધરતીકંપ, પ્રતિકાત્મક તસવીર. (Photo: Canva)

Myanmar Earthquake India: મ્યાનમાર અને થાઇલેન્ડ ભૂકંપથી તબાહ થઇ ગયા છે. ઘણી મોટી ઇમારતો ધરાશાયી થઈ છે, ઘણા રસ્તાઓ સંપૂર્ણપણે તુટી ગયા છે, સેંકડો લોકો ગુમ થયાના પણ અહેવાલ છે. આમ તો ભારતમાં પણ ભૂકંપ આવે છે, ઘણા ભયંકર ધરતીકંપ આવ્યા છે. પરંતુ એક ડર છે જે લોકોના મનમાં ઘૂમરાતો રહે છે – જો કોઈ મોટો ભૂકંપ આવે તો તમે શું કરશો? શું ભારત મોટા ભૂકંપનો સામનો કરવા સજ્જ છે? શું સરકારે કોઈ પગલાં લીધાં છે?

ભૂકંપ કેટલો ભયંકર હોય છે?

ભારતનો 59 ટકા વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ માનવામાં આવે છે. ભારતમાં નવેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 વચ્ચે કુલ 159 ભૂકંપ આવ્યા હતા. ભૂકંપની દ્રષ્ટિએ ભારતને 4 ઝોનમાં વહેંચ્યું છે, તેને સિસ્મિક ઝોન (Seismic Zone) પણ કહેવામાં આવે છે.

સિસ્મિક ઝોનજોખમ સ્તરમુખ્ય વિસ્તારો
ઝોન Vખૂબ સક્રિયહિમાલયન પ્રદેશ, ઉત્તર-પૂર્વ, કચ્છ, આંદામાન અને નિકોબાર ટાપુઓ
ઝોન IVઊંચુંદિલ્હી, જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગો, હરિયાણા, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ
ઝોન IIIમધ્યમમહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ
ઝોન IIનીચુંડેક્કન પલટન, મધ્ય ભારત

આમ તો ભારતમાં ઘણા ભૂકંપ આવ્યા છે, પરંતુ બે સૌથી ભયાનક માનવામાં આવે છે. ઘણા લોકો માર્યા ગયા, ઇમારતોને ભારે નુકસાન થયું.

વર્ષસ્થતીવ્રતામૃત્યુ
1905કાંગડા, હિમાચલ પ્રદેશ819,800
2001ભૂજ, ગુજરાત7.912,932

ધરતીકંપનો સામનો કરવા ક્યા પગલા લીધા છે?

હવે ભારતની તમામ સરકારોને ખ્યાલ આવી ગયો છે કે દેશમાં એક ભયંકર તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. આવી સ્થિતિમાં, અનેક પગલાં લેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, જો 2014 સુધીમાં માત્ર 80 Seismic Observatories હતી, તો 2025 સુધીમાં તે આંકડો વધીને 168 થઈ ગયો છે. તેવી જ રીતે સમગ્ર દેશમાં ભૂકંપ અર્લી વોર્નિંગ સિસ્ટમ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. ઉત્તરાખંડમાં વર્ષ 2021માં જ ભૂકંપ અર્લી વોર્નિંગ સિસ્ટમ આવી ગઇ છે. જે પણ તેનું ફાઇલિંગ હોય છે, તે BhuDEV (Bhukamp Disaster Early Vigilante) એપ્લિકેશન પર મોકલવામાં આવે છે.

હવે એક તરફ ટેકનોલોજીની મદદથી ભૂકંપના ખતરાથી બચવાનો પ્રયાસ થઇ રહ્યો છે તો બીજી તરફ લોકોને જાગૃત કરવા પણ જરૂરી છે. આ કારણે NDMA એ આ વર્ષે માર્ચમાં ‘ફેસિંગ ડિઝાસ્ટર’ નામનું એક જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. તેનું ટેલીવિઝન પર પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ જ રીતે વર્ષ 2016માં પીએમ મોદીએ પણ ભૂકંપ ની ગંભીરતા સમજીને 10 મુદ્દાનો એજન્ડા તૈયાર કર્યો હતો. ૨૦47 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આ પગલાંને જરૂરી માનવામાં આવ્યા હતા. આ સૂચિમાં પ્રારંભિક ચેતવણી પ્રણાલી રજૂ કરવાથી માંડીને વીમા પોલિસીમાં મોટા ફેરફારો કરવા સુધીની હતી.

આપત્તિ દરમિયાન કઈ એજન્સી શું કામગીરી કરે છે?

એજન્સીશું કામ કરે છે
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)વર્ષ 2006માં સ્થપાયેલી કુલ 16 બટાલિયન
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એન.સી.એસ.)ભારતમાં 1898થી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે, અર્લી વોર્નિંગ સિસ્ટમ પર સંશોધન
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)વર્ષ 2005માં શરૂ થયેલી પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં તેમણે પોતે જ કરી હતી, આપત્તિઓથી બચવાની યોજના
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝ (એસ.ડી.એમ.એ.)રાજ્યના મુખ્યમંત્રી તેમના સ્તરે યોજનાઓ તૈયાર કરે છે
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઇડીએમ)તાલીમ અને સંશોધન માટે 1995માં શરૂ થયું હતું

આમ તો, સમય સમય પર લોકો માટે ગાઇડલાઇન્સ પણ બહાર પાડવામાં આવે છે. 2019માં હોમ ઓનર્સ ગાઈડ દ્વારા લોકોને પોતાનું ઘર કેવી રીતે બનાવવું તે વિશે જણાવવામાં આવ્યું હતું જેથી મોટો ભૂકંપ આવે તો તેની સુરક્ષા કરી શકાય. એ જ રીતે, 2021 માં, સરળ માર્ગદર્શિકા બહાર આવી હતી, જ્યારે બહુમાળી ઇમારતો માટેના સલામતી ધોરણોને ખૂબ જ વિગતવાર સમજાવવામાં આવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ