મરાઠા અનામત : છગન ભુજબળે પટેલ, જાટ, ગુર્જરોનો ઉલ્લેખ કેમ કર્યો?

Maratha Reservation : છગન ભુજબળે કહ્યું - મરાઠા અનામત આંદોલનથી હાલના ઓબીસી સમુદાયના સભ્યોમાં ચિંતા ઉભી કરી છે

Written by Ashish Goyal
January 29, 2024 21:54 IST
મરાઠા અનામત : છગન ભુજબળે પટેલ, જાટ, ગુર્જરોનો ઉલ્લેખ કેમ કર્યો?
ઓબીસી નેતા છગન ભુજબળ (Express File Photo by Arul Horizon)

Maratha Reservation : મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને સત્તામાં રહેલા નેતાઓના નિવેદનો સામે આવવા લાગ્યા છે. મરાઠા અનામત મુદ્દે રાજ્ય સરકારના વલણ પર સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના બે રાજકારણીઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે. આ બે નેતાઓમાં એક નામ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે છે અને બીજા ઓબીસી નેતા છગન ભુજબળ છે, જે મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી પણ છે. બંનેએ ઓબીસી જેવા મરાઠાઓને લાભ આપવાના એકનાથ શિંદે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. ભુજબળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજિત પવાર જૂથનો ભાગ છે, જેમણે ગયા વર્ષે શિવસેના પક્ષના શાસક જૂથ અને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું.

મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે કહ્યું કે હું છેલ્લા 35 વર્ષથી ઓબીસી માટે કામ કરી રહ્યો છું. આજે મરાઠાઓનો ઓબીસીમાં સમાવેશ થાય છે. આવતીકાલે પટેલ, જાટ અને ગુર્જર પણ જોડાશે. અમે લોકશાહીમાં અપેક્ષા રાખી શકાય તે રીતે દરેક રીતે લડીશું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મરાઠાઓ પછાત નથી, પરંતુ બેકડોર એન્ટ્રી દ્વારા તેમને ઓબીસીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે, તેની અસર ઓબીસી અનામત પર પડી રહી છે.

મરાઠા અનામત આંદોલનથી હાલના ઓબીસી સમુદાયના સભ્યોમાં ચિંતા – છગન ભુજબળ

છગન ભુજબળે કહ્યું હતું કે મરાઠા અનામત આંદોલનથી હાલના ઓબીસી સમુદાયના સભ્યોમાં ચિંતા ઉભી કરી છે. ભુજબળે કહ્યું કે ઓબીસીને લાગે છે કે તેઓએ પોતાનું અનામત ગુમાવ્યું છે કારણ કે મરાઠાઓ તેનો લાભ લેશે. હું મરાઠાઓને અલગથી અનામત આપવાનું સમર્થન કરું છું પરંતુ હાલના ઓબીસી ક્વોટા તેમનો સમાવેશ કરવાના પક્ષમાં નથી. તેઓ ઓબીસી માટે હાલની અનામતનો હિસ્સો બની જશે તો ફક્ત તેમને જ તેનો લાભ મળશે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી : આંકડા દર્શાવે છે કે યુપીમાં સમાજવાદી પાર્ટી ‘ઇન્ડિયા એલાયન્સ’નું કેન્દ્રબિંદુ કેમ?

પ્રફુલ પટેલે કહ્યું – ભુજબળનું સ્ટેન્ડ એનસીપીનું નથી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એનસીપી (અજિત પવાર જૂથ)ના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું છે કે ભુજબળની મહારાષ્ટ્ર સરકારની ટીકા તે પાર્ટીનું સત્તાવાર સ્ટેન્ડ નથી. પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે ભુજબળનું સ્ટેન્ડ તેમના નેતૃત્વવાળા ઓબીસી જૂથ સમતા પરિષદનું છે, એનસીપીનું નથી.

ભુજબળે જણાવ્યું હતું કે મરાઠાઓના કુનબી રેકોર્ડની તપાસ કરનારી સમિતિના વડા નિવૃત્ત જજ સંદીપ શિંદેને અતિશય ઊંચા પગાર મળે છે. તેમણે કહ્યું કે ભારતના મુખ્ય ન્યાયાધીશને 2.80 લાખ રૂપિયા સેલેરી મળે છે, જ્યારે જસ્ટિસ શિંદે અને સમિતિના સભ્યોને 4.50 લાખ રૂપિયા મળે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ