અમેરિકા દ્વારા ભારત પર 50% ટેરિફ લાગુ, શું ભારતમાં કેટલીક વસ્તુઓ સસ્તી થશે?

US-India trade tensions 2025: અમેરિકામાં નિકાસ ન થઈ શકે તો શું ભારતના લોકોને આ વસ્તુઓ સસ્તી મળી શકે છે? તેની પાછળનો તર્ક એ હોઈ શકે કે જ્યારે આ સામાનને અમેરિકા મોકલવામાં નહીં આવે તો ભારતમાં તેનો જથ્થો વધારે હશે અને આનાથી તેના ભાવ ઘટી શકે છે, પરંતુ શું ખરેખર આવું થશે?

Written by Ashish Goyal
Updated : August 27, 2025 20:22 IST
અમેરિકા દ્વારા ભારત પર 50% ટેરિફ લાગુ, શું ભારતમાં કેટલીક વસ્તુઓ સસ્તી થશે?
અમેરિકાએ ભારતીય વસ્તુઓ પર લગાવેલો 50 ટકા ટેરિફ લાગુ થઇ ગયો છે (Image Source: Fe)

US-India trade tensions 2025 : અમેરિકાએ ભારતીય વસ્તુઓ પર લગાવેલા 50 ટકા ટેરિફ આજથી એટલે કે 27 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. આ અંગે લોકોની સામે ઘણી ચિંતાઓ આવી રહી છે. ટેરિફથી જે માલને સૌથી વધુ અસર થશે તેમાં કાપડ, જેમ્સ એન્ડ જ્વેલરી, કાર્પેટ અને ફર્નિચર અને ઝીંગાનો સમાવેશ થાય છે.

જો આ માલ અમેરિકામાં નિકાસ ન થઈ શકે તો શું ભારતના લોકોને આ વસ્તુઓ સસ્તી મળી શકે છે? તેની પાછળનો તર્ક એ હોઈ શકે કે જ્યારે આ સામાનને અમેરિકા મોકલવામાં નહીં આવે તો ભારતમાં તેનો જથ્થો વધારે હશે અને આનાથી તેના ભાવ ઘટી શકે છે, પરંતુ શું ખરેખર આવું થશે?

ટેરિફ વિશે સમજવું મહત્વપૂર્ણ છે કે તેની સીધી અસર ગ્રાહક પર પડે છે. જે સામાન પર વધુ ટેરિફ લાગશે તે મોંઘા થશે. ઉદાહરણ તરીકે કાર્પેટને લો. જ્યારે ભારતીય કાર્પેટ મોંઘા થશે ત્યારે ગ્રાહકો બાંગ્લાદેશ કે પાકિસ્તાનથી આવતા કાર્પેટ ખરીદવાનું પસંદ કરશે કારણ કે તે દેશો પર અમેરિકાના ટેરિફ ઓછા છે, તેથી તેમનું કાર્પેટ ભારત કરતા સસ્તું પડશે. આની સીધી અસર ભારતના નિકાસકારો પર પડશે. આવી સ્થિતિમાં, એક રસ્તો શોધી શકાય છે કે આ નિકાસકારો ભારતમાં પોતાનો માલ વેચે છે પરંતુ તેમાં પણ કેટલીક મુશ્કેલીઓ છે. ચાલો આપણે તેના વિશે વાત કરીએ.

ગુણવત્તામાં તફાવત છે

આમાંની ઘણી વસ્તુઓ પછી તે કાપડ હોય કે ફર્નિચર, ખૂબ જ ઓછું માર્જિન ધરાવે છે. જ્યારે ઘણાં બધાં કપડાં કે જ્વેલરી અમેરિકા મોકલવામાં આવે છે, ત્યારે તેનાથી ભારતના નિકાસકારોને ઘણો ફાયદો થાય છે અને આ લાભ ડોલરમાં થાય છે. એક વાત એ છે કે જે માલની નિકાસ કરવાની હોય છે તેની ગુણવત્તા ભારતમાં વેચાતા માલ કરતાં સારી છે.

જો ઉત્પાદકો આ માલને જે ભાવે અમેરિકાને વેચે છે તે ભાવે ભારતમાં વેચે છે તો પછી તેમને એટલો નફો થશે નહીં કારણ કે ભારતમાં લોકો આ માલ માટે આટલા બધા પૈસા ખર્ચશે નહીં. આવી સ્થિતિમાં નિકાસકારોએ યુરોપિયન યુનિયન, ગલ્ફ દેશો વગેરેમાં બજારો શોધવાનું વધુ સારું રહેશે.

આ પણ વાંચો – INS ઉદયગિરી અને હિમગિરી કેટલું ખતરનાક છે, 9 પોઇન્ટ્સમાં સમજો તેની ખાસિયત

વેપારીઓની ક્ષમતાનો પ્રશ્ન

આમાં એક મોટું પરિબળ વેપારીઓની ક્ષમતા પણ છે. મોટા ઉદ્યોગપતિઓ પોતાનો માલ થોડા સમય માટે રાખી શકે છે અને જ્યારે તેમને યોગ્ય ખરીદદાર મળે ત્યારે તેઓ પોતાનો માલ વેચી શકે છે, પરંતુ નાના વેપારીઓ કે જેમને તાત્કાલિક પૈસાની જરૂર હોય, તેમણે લોન ભરપાઈ કરવી પડે છે, કર્મચારીઓને પગાર ચૂકવવો પડે છે, તેઓ આવું કરી શકશે નહીં. તેથી, તેઓએ ભારતીય બજારમાં ઓછી કિંમતે તેમનો માલ વેચવો પડી શકે છે. આ કયા સ્તરે થશે તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. પરંતુ નિષ્ણાતો માને છે કે કેટલાક કાપડ, ચામડાના માલ વગેરે ભારતીય દુકાનોમાં પ્રવેશ કરશે.

રોજગાર પર અસર

નિકાસ ક્ષેત્રમાં ભારતને મળતો એક મોટો ફાયદો એ છે કે અહીં મજૂરી ખૂબ સસ્તી છે. અમેરિકનો માટે ભારતમાંથી આયાત કરાયેલી વસ્તુઓ અમેરિકામાં બનેલા માલ કરતાં સસ્તી હોય છે કારણ કે મજૂરીનો ખર્ચ ત્યાં ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે. સસ્તા મજૂરોની ઉપલબ્ધતાને કારણે ભારતમાં ઉત્પાદન હજુ પણ અન્ય ઘણા દેશો જેટલું યાંત્રિક નથી. હવે જો વેપારીઓ ઓછી વસ્તુઓ વેચશે, તો તેઓ ઓછી વસ્તુઓ બનાવશે અને આમ ઘણા લોકો નોકરી ગુમાવશે. આની અસર એ પણ થશે કે નોકરીના અભાવે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા ઘટી જશે.

વેપારી સંગઠનો કેન્દ્રની મદદ માંગી

વેપારી સંગઠનોએ સરકારને મદદ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, તેમને લોન આપવી જોઈએ જેથી તેઓ પોતાની તાત્કાલિક ચૂકવણી કરી શકે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે વર્તન કરી રહ્યા છે. હાલ આ સમસ્યાનો ઉકેલ લાવવો મુશ્કેલ લાગે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ